Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

અમદાવાદમાં સાળાની દિકરીનાં મોતનો આક્ષેપ કરતા કિશોર ડાભીનો આપઘાત

અમદાવાદ : પરિવારના સભ્યોએ મોતનો આક્ષેપ મુકતા તેનાથી કંટાળીને યુવકે આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રા માહિતી મુજબ  સરસપુર પોટલીયા મનુજી ગોબરજીની ચાલી ખાતે કિશોરભાઈ ડાભી તેમની પત્ની અને ત્રણ સંતાન સાથે રહેતા હતા. દસેક દિવસ અગાઉ કિશોરભાઈએ તેમના મોટાભાઈ નારાયણભાઈને ફોન કરી મારી પત્ની અઠવાડીયાથી બીજા કોઈની સાથે જતી રહી છે. આ ઉપરાંત સાળીની દિકરી સાત-આઠ વર્ષ અગાઉ ગીતાની છોકરી ભારતી મારી સાથે રહેતી હતી જે મૃત્યુ પામી હતી.

જેથી સાળો રાહિત, સાઢુ રાજુ, મોટી સાળી આશા અને રોહિતની પત્ની ટીના અવારનવાર મોતનો આરોપ મુકીને માનસિક ત્રાસ આપે છે. ગત ગુરુવારે સાળો અને સાઢુ કિશોરભાઈના દ્યરે ગયા હતા અને ઝદ્યડો કરતા મનમાં લાગી આવતા કિશોરભાઈએ અગ્નિસ્નાન કરી લીધું હતું. કિશોરભાઈને સિવિલ હાઙ્ખસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જયાં તેમનું મોત નિપજતા શહેરકોટડા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

(4:11 pm IST)