Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

વાર્ષિક ર૭૦૦૦ કરોડના ટર્ન ઓવરવાળા 'અમૂલ' (GCMMF)na ચેરમેન પદે શ્રી રામસિંહ પરમાર ચૂંટાયા : વાઈસ ચેરમેન બન્યા શ્રી જેઠા ભરવાડ

ગાંધીનગર : ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનની ચૂંટણીમાં વાર્ષિક ર૭૦૦૦ કરોડના ટર્ન ઓવરવાળા 'અમૂલ'ના ચેરમેન પદે શ્રી રામસિંહ પરમાર અને વાઈસ ચેરમેન પદે શ્રી જેઠા ભરવાડ ચૂંટાઇ આવ્યા છે. ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનની આ ચૂંટણીમાં 18 ડેરી સંધોના ચેરમેનેએ મતદાન કર્યું હતુ.

આજે ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે યોજાયેલી ચૂંટણી પહેલા ડેરી સંઘના પ્રમુખોની બેઠક યોજાઈ હતી જેમાં મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી શ્રી ઈશ્વર પટેલ હાજર રહ્યા હતા.

છેલ્લા કેટલાક દિવસોથી ચેરમેન પદે શંકર ચૌધરીનું નામ ચર્ચામાં હતુ અને આ પદ માટે શંકર ચૌધરી, જેઠાભાઈ પટેલ અને રામસિંહ પરમાર રેસમાં હતા. પરંતુ આજે રામસિંહ પરમાર ચેરમેન પદે ચૂંટાઇ આવતા આ અટકળનો અંત આવ્યો છે.

નોંધનીય છે કે 2014થી જેઠાભાઈ પટેલ ચેરમેન તરીકે ચૂંટાતા હતા. વિપુલ ચૌધરી બાદ સતત ચૂંટાતા ચેરમેન તરીકે તેઓનું નામ હતુ.

(1:06 pm IST)