Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

અમદાવાદ નજીક વાહન અકસ્માતમાં ઘવાયેલા જીજ્ઞાશાબેન રાઠોડનું મોત

માટેલ દર્શન કરવા જતા'તાને અકસ્માત સર્જાયો હતોઃ મહિલાએ રાજકોટની હોસ્પિટલાં દમ તોડી દીધો

રાજકોટ તા.૨૯: અમદાવાદ નજીક ઢુવા ચોકડી પાસે ટ્રેક અને બાઇક વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ મહિલાનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યુ  છે.

 

મળતી વિગત મુજબ અમદાવાદમાં રહેતા જીજ્ઞાશાબેન અલ્પેશભાઇ રાઠોડ (ઉ.વ.૩૧) પતિના બાઇક પાછળ બેસીને માટેલ દર્શન કરવા માટે જતા હતા. ત્યારે ઢુવા ચોકડી પાસે ટ્રકે બાઇકને પાછળથી ઠોકર મારતા જીજ્ઞાશાબેનને ઇજા થતા તેને સારવાર માટે પ્રથમ અમદાવાદ બાદ વધુ સારવાર માટે રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યા તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. આ અંગે ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.(૧.૧૧)

(12:42 pm IST)