Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

બનાસકાંઠાના દાંતાગામ નજીક કાર અકસ્માતમાં પ્રોફેસર સહિત બેના મોત

પાટણઃ તા.૨૯  સાયન્સ કોલેજના પ્રોફેસર ડો. વિપુલ પ્રજાપતિ સહિત બે વ્યકિતના અંબાજી પાસે અકસ્માતમાં  મોત નિપજતા શેક્ષણિક ક્ષેત્રે તેમજ કોલેજ કેમ્પસમાં  શોકની લાગણી ફેલાઇ જવા પામી છે. 

પ્રાપ્ત વિગત મુજબ બનાકાંઠા જિલ્લાના દાંતાગામ પાસે અંબાજીથી મહેસાણા તરફ બસ જઇ રહી  હતી અને અંબાજી તરફ જતી સ્વીફટ કાર વચ્ચે અકસ્માત સર્જાતા કારનો બુકકો બોલી ગયો હતો પ્રો. ડો. વિપુલકુમાર પ્રજાપતિ તથા મધુબેન પટેલ જારની યુવતિનું ઘટના સ્થળે મુત્યુ નિપજ્યું હતું (૪૦.૪)

(11:43 am IST)