Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

કોરોનાની ઝડપ અવગણવી ભારે પડશે : અમદાવાદમાં 182 કેસ સહીત રાજ્યમાં 394 પોઝીટીવ કેસ :વધુ 59 દર્દીઓ સાજા થયા :ખેડામાં એક દર્દીનું મૃત્યુ : કુલ મૃત્યુઆંક 10.115 થયો :કુલ 8.18.422 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 2.22.086 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 182 કેસ,સુરતમાં 61 કેસ, રાજકોટમાં 37 કેસ, વડોદરામાં 35 કેસ, આણંદમાં 12 કેસ, નવસારી અને ગાંધીનગરમાં 10 કેસ, જામનગર, ખેડા અને વલસાડમાં 7-7 કેસ, કચ્છમાં 5 કેસ, ભરૂચમાં 3 કેસ, દેવભૂમિ દ્વારકા ,જૂનાગઢ,મહીસાગર,મોરબી ,ભાવનગર અને સાબરકાંઠામાં 2-2 કેસ, અમરેલી,બનાસકાંઠા, ગીર સોમનાથ,પંચમહાલ,પોરબંદર અને તાપીમાં 1-1 કેસ નોંધાયો : હાલમાં 1420 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં હતા,ત્યારે છેલ્લા કેટલાક ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે, આજે નવા 394 પોઝીટીવ કેસ નોંધાયા છે   આજે વધુ 59 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધઘટ જોવા મળે છે ત્યારે છેલ્લા કેટલી દિવસોથી નવા કેસમાં જબરો વધારો થઇ રહ્યો છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 394 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 59 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.18.422 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી ખેડામાં એક દર્દીનું  દર્દીનું મૃત્યુ થયું છે, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.115 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.61 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 2.22.086 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 8, 88.20.452 રસીકરણ  સંપન્ન થયું છે

  રાજ્યમાં હાલ 1420 એક્ટિવ કેસ છે, જેમાંથી 16 લોકો વેન્ટિલેટર પર અને 1404 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,18.422  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી ખેડામાં એક દર્દીનું મૃત્યુ થયું છે ,રાજયમાં કુલ મૃત્યુઆંક 10.115 થયો છે

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 394 કેસમાં અમદાવાદમાં 182 કેસ,સુરતમાં 61 કેસ, રાજકોટમાં 37 કેસ, વડોદરામાં 35 કેસ, આણંદમાં 12 કેસ, નવસારી અને ગાંધીનગરમાં 10 કેસ, જામનગર, ખેડા અને વલસાડમાં 7-7 કેસ, કચ્છમાં 5 કેસ, ભરૂચમાં 3 કેસ, દેવભૂમિ દ્વારકા ,જૂનાગઢ,મહીસાગર,મોરબી ,ભાવનગર અને સાબરકાંઠામાં 2-2 કેસ, અમરેલી,બનાસકાંઠા, ગીર સોમનાથ,પંચમહાલ,પોરબંદર અને તાપીમાં 1-1 કેસ નોંધાયો છે

 

(7:44 pm IST)