Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

કોરોનાએ ઝડપ વધારી ચેતવણી આપી : અમદાવાદમાં 100 કેસ સહીત મહાનગરોમાં કાળોકેર વર્તાવ્યો : રાજ્યમાં નવા 204 પોઝીટીવ કેસ : વધુ 65 દર્દીઓ સાજા થયા : જામનગરમાં એક દર્દીનું મૃત્યુ : કુલ મૃત્યુઆંક 10.114 થયો :કુલ 8.18.363 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે વધુ 4.02.136 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 100 કેસ,રાજકોટમાં 36 કેસ, સુરતમાં 23 કેસ, વડોદરામાં 17 કેસ, ગાંધીનગરમાં 5 કેસ, ખેડામાં 4 કેસ, આણંદ , ભરૂચ અને કચ્છમાં 2-2 કેસ, બનાસકાંઠા, ભાવનગર,દાહોદ,જામનગર, જૂનાગઢ,મહેસાણા,નવસારી, પંચમહાલ, સુરેન્દ્રનગર,અને વલસાડમાં 1-1 કેસ નોંધાયો: હાલમાં 1086 એક્ટીવ કેસ: શહેર જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં હતા,ત્યારે છેલ્લા કેટલાક ઘણા મહિના બાદ કોરોના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે, આજે નવા 204 પોઝીટીવ કેસ નોંધાયા છે   આજે વધુ 656 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે ત્યારે રાજ્યમાં દિવાળી બાદ કોરોના કેસમાં વધઘટ જોવા મળે છે ત્યારે છેલ્લા કેટલી દિવસોથી નવા કેસમાં જબરો વધારો થઇ રહ્યો છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 204 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 65 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.18.363 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં  કોરોનાથી જામનગરમાં એક દર્દીનું મૃત્યુ થયું છે, રાજયમાં કુલ મૃત્યુઆંક 10.114 થયો છે રાજ્યમાં રિકવરી રેટ 98.65 ટકા થયો છે 

 રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન છે આજે રાજયમાં વધુ 4.02.136 લોકોનું રસીકરણ કરાયું છે આ સાથે રાજયમાં કુલ 8, 85.98.366 રસીકરણ  સંપન્ન થયું છે

  રાજ્યમાં હાલ  1086 એક્ટિવ કેસ છે, જેમાંથી 14 લોકો વેન્ટિલેટર પર અને 1072 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,18.363  ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે  આજે રાજ્યમાં કોરોનાથી જામનગરમાં એક દર્દીનું મૃત્યુ થયું છે ,રાજયમાં કુલ મૃત્યુઆંક 10.114 થયો છે

 રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 204 કેસમાં અમદાવાદમાં 100 કેસ,રાજકોટમાં 36 કેસ, સુરતમાં 23 કેસ, વડોદરામાં 17 કેસ, ગાંધીનગરમાં 5 કેસ, ખેડામાં 4 કેસ, આણંદ , ભરૂચ અને કચ્છમાં 2-2 કેસ, બનાસકાંઠા,ભાવનગર,દાહોદ,જામનગર, જૂનાગઢ,મહેસાણા,નવસારી, પંચમહાલ, સુરેન્દ્રનગર,અને વલસાડમાં 1-1 કેસ નોંધાયો છે

(7:58 pm IST)