Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

સુરતમાં ગૂમ થયેલ યુવનનો મૃતદેહ ઉગત રોડ નજીક નહેરમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામ્યો

સુરત: શહેરમાં ગુમ થયેલા રાંદેરના યુવાની રવિવારે સાંજે ઉગત રોડ પર નહેરમાંથી ઇજાગ્રસ્ત હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ રાંદેરના ઉગત રોડ પર શ્રીજી નગરીમા રહેતા 37 વર્ષીય સંજયભાઈ રાજેશભાઈ ચાવડા શનિવારે સવારે ઘરેથી કામ અર્થે જવાનું કહીને નીકળ્યા હતા. જોકે તે મોડી સાંજે ઘરે નહીં આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આરંભી હતી. 

દરમિયાન ગઇકાલે સાંજે તે રામદેવના ઉગત કેનાલ રોડ પર શિવ દ્રષ્ટિ સોસાયટી પાસે નહેરમાંથી લાશ મળી આવી હતી. આ અંગે કોઈ પોલીસને જાણ કરતા ઘટના સ્થળે ધસી આવી કાર્યવાહી બાદ તેમની ઓળખ થઈ હતી અને તેમનો મૃતદેહ નવી સિવિલ ખાતે ખસેડાયો હતો. 

(5:20 pm IST)