Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

માતર તાલુકાના આંતરોલીમાં આવવા-જવા બાબતે ઝઘડો કરી ચાર ઈસમોને એકને ફટકાર્યો

માતર:તાલુકાના આંતરોલીમાં આવવા-જવા બાબતે ઝઘડો કરી ચાર ઈસમોએ દલિત ઈસમને ગડદાપાટુ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે માતર પોલીસે એટ્રોસીટી હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર માતર તાલુકાના આંતરોલી ગામમાં રહેતા યોગેશભાઈ શંકરભાઈ રાઠોડે રતિલાલ પુરબીયા સાથે ખેતરમાં જવા-આવવાના રસ્તા બાબતે ઝઘડો કરી બોલાચાલી કરી ડાબા હાથે ધારીયું મારી ઈજા કરી હતી તેમજ નરેશ શંકરભાઈ તથા અશ્વિનભાઈ શંકરભાઈ રાઠોડે લાકડીથી માર માર્યો હતો.જ્યારે અમરસિંહ ભીમાભાઈ રાઠોડે ગમેતેમ ગાળો બોલી ગડદાપાટું માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે રતિલાલ સોમાભાઈ પુરબીયાની ફરિયાદ આધારે માતર પોલીસે યોગેશ શંકરભાઈ, નરેશભાઈ શંકરભાઈ, અશ્વિનભાઈ શંકરભાઈ તથા અમરસિંહ ભીખાભાઈ રાઠોડ સામે એટ્રોસીટી હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:48 pm IST)