Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

પાર્ટીમાં જવાના બહાને બોલાવી નડિયાદના કણજરીમાં ઈસમનું ઢોર માર માર્યો

નડિયાદ:તાલુકાના કણજરીમાં પ્રદિપસિંહ વિઠ્ઠલસિંહ ચાવડા રહે છે. ગત તા. ૨૩-૪-૧૮ની રાત્રે અકીલ બાદશાહ (રે. આણંદ))એ પ્રદિપસિંહ ચાવડાને પાર્ટીમાં જવાનું છે કહી નરસંડા બોલાવ્યો હતો. બાદમાં અદાવત રાખી પ્રદિપસિંહ ચાવડાને નરસંડા-ભૂમેલ રોડ ઉપર લઈ જઈ ઉતારી દીધો હતો અને ભૂરીયો તેમજ અન્ય બે ઈસમોને બોલાવી પ્રદિપસિંહને લાકડી તથા હોકીથી માર મારી ફ્રેક્ચર કર્યું હતું. જ્યારે અકીલ બાદશાહે પ્રદિપસિંહને માથામાં લોખંડની પાઈપ મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

(5:47 pm IST)