Gujarati News

Gujarati News

News of Monday, 28th October 2019

અમદાવાદના વસ્ત્રાપુરમાં રવિશંકરના કાર્યક્રમમાં ગયેલ પાંચ વ્યક્તિના પર્સને નિશાન બનાવી ગઠિયા તસ્કરી કરી છૂમંતર...

અમદાવાદ: શહેરના વસ્ત્રાપુરમાં જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડમાં શ્રી શ્રી રવિશંકરના કાર્યક્રમમાં ગયેલા પાંચ વ્યક્તિના પર્સની ગઠિયાઓ ચોરી કરી ગયા હતા. જોકે એક યુવકે આરોપીને રંગેહાથ ઝડપી લેતા તેને તેનું પર્સ મળી ગયું હતું. જોકે અન્ય ચાર વ્યક્તિના પર્સ મળ્યા હતા. વસ્ત્રાપુર પોલીસે અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ ૨૬ ઓક્ટોબરના રોજ જી.એમ.ડી.સી.ગ્રાઉન્ડના કન્વેશનલ હોલમાં શ્રી શ્રી રવિશંકરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાથી લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા.દરમિયાન ક્રાયક્રમ જોવા આવેલા સાણંદના ગોધાવી મા રહેતા મિહીરભાઈ એન.પટેલને તેમના પેન્ટના પાછળના ગજવામાંથી કોઈ પર્સ ખેંચતું હોવાનું જણાયું હતું. તપાસ કરતા તેનું પર્સ ગુમ જણાયું હતું. તેમણે પાછળ ઉભેલા શંકાસ્પદ શખ્સને પકડીને પુછપરછ કરતા અન્ય ચાર પણ જણા ત્યાં આવી ગયા હતા અને તેમના પર્સની પણ ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું મિહીરભાઈના પર્સમાં તેમનું આધારકાર્ડ, આર.સી.બુક અને રૃ.,૧૦૦ રોકડા હતા

(4:02 pm IST)