Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

નવરાત્રિ પૂર્વે અમદાવાદમાં વરસાદી દોર યથાવત જારી

નિયમિતગાળામાં દિવસ દરમિયાન વરસાદ : અમદાવાદમાં હજુ સુધી ૮૨૧મીમી સુધીનો વરસાદ થયો

અમદાવાદ,તા. ૨૮ : અમદાવાદ શહેરમાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ રહ્યો હતો. દિવસ દરમિયાન નિયમિત ગાળામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જારી રહ્યા હતા. વાદળછાયુ વાતાવરણ દિવસ દરમિયાન રહ્યું હતું. શહેરના કેટલાક વિસ્તારમાં ભારે અને કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ થયો હતો. અમદાવાદ શહેર માટે પણ ભારે વરસાદની આગાહી અકબંધ રાખવામાં આવી છે જેથી નવરાત્રિ ખેલૈયાઓમાં ચિંતા પ્રવર્તી રહી છે. ભારે વરસાદની ચેતવણી અમદાવાદ માટે પણ જારી કરાઈ છે. અમદાવાદ શહેરમાં હજુ સુધી સિઝનમાં ૮૨૧મીમી સુધીનો વરસાદ થયો છે.  આજે પણ સમગ્ર દિવસ દરમ્યાન શહેરમાં વરસાદ ચાલુ રહ્યો હતો. વહેલી સવારથી જ વરસાદ વરસવાનું શરૂ થયુ હતું. શહેરમાં આજે સમગ્ર વાતાવરણ એકદમ ઠંડુગાર બની ગયુ હતુ. અમદાવાદ શહેરના મોટાભાગના તમામ વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ ઝરમર ઝરમર અને ધીમી ધારનો વરસાદ પડવાની શરૂઆત થઇ હતી.

                 શહેરના કેટલાક વિસ્તારમાં ગઇ મોડી રાતના વરસાદ અને આજે સમગ્ર દિવસ દરમ્યાન ચાલુ રહેલા ધીમા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. શહેરભરમાં વાદળીયા વાતાવરણ વચ્ચે ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો છે. ગઇકાલે ગુરુવારે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ ૧૪ કિલોમીટરની ઝડપે પવન અને વીજળીના પ્રચંડ કડાકા સાથે શહેરભરમાં વરસાદ તૂટી પડ્યો હતો. ગઇકાલે સરખેજમાં તો માત્ર ૨૫ મિનિટમાં જ ૪ ઈંચ વરસાદ ખાબકયો હતો, જેના કારણે આ વિસ્તાર બેટમાં ફેરવાઇ ગયો હોય તેવા જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. શહેરમાં ગઇ મોડી રાત્રે માત્ર એક જ કલાકમાં સરેરાશ દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે વાસણા ૫ાંચ દરવાજા ત્રણ ફૂટ ખોલાયા હતા. એકાએક ખાબકેલા વરસાદથી અખબારનગર અને શાહીબાગ અંડરપાસ બંધ કરવા પડ્યા હતા. આજે અમદાવાદ શહેરમાં બપોરના ગાળામાં ભારે વરસાદ થયો હતો જેથી લોકોને મુશ્કેલી નડી હતી.કિલોમીટરની ઝડપે પવન અને વીજળીના પ્રચંડ કડાકા સાથે શહેરભરમાં વરસાદ તૂટી પડ્યો હતો. સરખેજમાં તો માત્ર ૨૫ મિનિટમાં જ ૪ ઈંચ વરસાદ ખાબકયો હતો, જેના કારણે આ વિસ્તાર બેટમાં ફેરવાઇ ગયો હોય તેવા જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા હતા.

                    શહેરમાં ગઇ મોડી રાત્રે માત્ર એક જ કલાકમાં સરેરાશ દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે વાસણા ૫ાંચ દરવાજા ત્રણ ફૂટ ખોલાયા હતા. એકાએક ખાબકેલા વરસાદથી અખબારનગર અને શાહીબાગ અંડરપાસ બંધ કરવા પડ્યા હતા. ૧૦૦થી વધુ વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાયા હતા અને ત્રણ સ્થળે વૃક્ષ તૂટી પડ્યા હતા. રાણીપ સહિત કેટલાક વિસ્તારમાં નવરાત્રી માટે બાંધવામાં આવેલા મંડપ ઉડી ગયા હતા. આનંદનગર, જોધપુર, વેજલપુર, જીવરાજપાર્ક, હેલ્મેટ સર્કલ, નિકોલ, હાટકેશ્વર, ખોખરા સહિતના વિસ્તાર તો પાણી ભરાતા બેટમાં ફેરવાયા હતા.  બીજીબાજુ, અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં ખાસ કરીને વિરમગામ, માંડલ, ધોળકા, કેલિયાવાસણા, બદરખા, ચંડીસર સહિતના પંથકોમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. ગ્રામ્ય પંથકોમાં પણ ધોધમાર વરસાદને લઇ પાણી ભરાઇ ગયા હતા. અમદાવાદમાં સિઝનનો હજુ સુધી ૮૧૭ મીમી વરસાદ થઇ ચુક્યો છે. અમદાવાદમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરાઈ છે.

(9:44 pm IST)