Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

નર્મદા જિલ્લામાં નવા ૧૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : ૧૮ દર્દી સાજા થતા રજા અપાઈ

 

(ભરત શાહ દ્વારારાજપીપળા : નર્મદા જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વધતા કોરોનાના સંક્રમણના કારણે રાજપીપળાના કેટલાક વિસ્તારો સંપૂર્ણ પણે સીલ કરાયા છે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૧૬ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ આજે ૧૬ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં દર્દી રાજપીપળા ના છે જ્યારે દર્દી બીતાળા દર્દી માંગરોળ દર્દી જીતનગર પોલીસ લાઈન દર્દી મોટા લીમટવાળા દર્દી ભદામ અને દર્દી ખોખરા ઉમર મળી કુલ ૧૬ દર્દી નર્મદા જિલ્લામાં પોઝિટિવ નોંધાયા છે.
રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૫૯ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર સેન્ટર માં ૫૮ દર્દી દાખલ છે આજે ૧૬ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૨૧૯ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે સાથેજ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંકડો ૩૪૧ પોહોચ્યો છે આજે વધુ ૮૧ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(9:45 pm IST)