Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

રાજ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : નવા 1108 કેસ પોઝીટીવ :કુલ કેસની સંખ્યા 57,982 થયો : વધુ 24 લોકોના મોત : મૃત્યુઆંક 2372

સુરતમાં સૌથી વધુ 293 કેસ, અમદાવાદમાં 156 કેસ, વડોદરામાં 91 કેસ, રાજકોટમાં 79 કેસ,દાહોદમાં 38 કેસ, ગાંધીનગરમાં 44 કેસ, બનાસકાંઠામાં 34 કેસ,સુરેન્દ્રનગરમાં 32 કેસ,અમરેલી અને જામનગરમાં 26-26 કેસ નોંધાયા : વધુ 1032 દર્દીઓ સાજા થતા કુલ 42,412 લોકોએ કોરોનાને મ્હાત આપી: રાજ્ય સરકાર અને વિવિધ શહેરોના મૃત્યુઆંકમાં આજે પણ તફાવત યથાવત

અમદાવાદ : રાજ્યમાં કોરોના બેફામ બન્યો છે આજે વધુ 1108 કેસ પોઝિટિવ નોંધાયા છે છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 24 લોકોના જીવ લીધા છે  આ સાથે  મૃત્યુઆંક 2372 થયો છે

રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 13,198 આ એક્ટિવ કેસમાંથી 13,111 દર્દી સ્ટેબલ છે જ્યારે 87 દર્દી વેન્ટીલેટર પર છે. આજે વધુ 1032 દર્દીઓ સાજા થતા રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 42,412  લોકોએ કોરોનાને મ્હાત આપી આપી છે જ્યારે 2372 લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. જોકે રાજ્ય સરકાર અને વિવિધ શહેરોના મૃત્યુઆંકમાં આજે પણ તફાવત  યથાવત છે છેલ્લા ઘણા દિવસોથો વિવિધ શહેરના મૃત્યુઆંક અને રાજ્ય સરકારના મૃત્યુઆંકમાં તફાવત જોવા મળે છે 

 આજે નોંધાયેલા નવા કેસમાં પણ સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 199 કેસ છે જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 147 કેસ છે. જયારે સુરત જિલ્લાના થઈને કુલ કેસ 293 થયા છે  અમદાવાદ જિલ્લામાં 156 કેસ નોંધાયા છે  જયારે વડોદરામાં 91 કેસ, રાજકોટમાં 79 કેસ,દાહોદમાં 38 કેસ, ગાંધીનગરમાં 44 કેસ, બનાસકાંઠામાં 34 કેસ,સુરેન્દ્રનગરમાં 32 કેસ,અમરેલી અને જામનગરમાં 26-26 કેસ નોંધાયા છે 

(8:23 pm IST)