Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

વડોદરાના માંજલપુર વિસ્તારમાં રાત્રે બાર વાગ્યે કર્ફ્યુ ભંગ કરી બહાર નીકળેલ દંપતીની પોલીસે ધરપકડ કરી

વડોદરા: શહેરના માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસેથી પોલીસે એક દંપતીને રાત્રે પોણા બાર વાગ્યે કરફ્યુ ભંગ બદલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કોરોનાની બિમારીના સંક્રમણને અટકાવવા માટે રાત્રે દશથી સવારના પાંચ વાગ્યા સુધી કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. મેડિકલ ઈમરજન્સી કે અન્ય કોઈ વ્યાજબી કારણ વિના નાગરિકોને ઘરની બહાર નિકળવાની મનાઈ છે. તેમ છતાંય રાત્રે ઘણા નાગરિકો ઘરની બહાર નિકળે છે અને માસ્ક પણ પહેરતા નથી.

ગતરાત્રે માંજલપુર પોલીસ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. રાત્રે પોણાબાર વાગ્યે માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે થી જતાં દંપતીને રોકીને પૂછપરછ કરી હતી. કોઈ ઉચિત કારણ વિના ઘરની બહાર નિકળનાર સત્યમ ઘનશ્યામભાઈ સિધ્ધપુરા અને તેમના પત્ની શ્વેતાબેન બંને રહે મુક્ત રેસીડેન્સી દીપ ચેમ્બર પાસે માંજલપુર સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(6:07 pm IST)