Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

સોનગઢના ટોકરવા ગામે આવેલ ચર્ચમાં ધાર્મિક કાર્યક્રમમાં 200 થી વધુ વ્યક્તિ ભેગા થતા વિષ્ણુ ગામીત ગુનો નોધાયો

મિસ્ત્રી ફળિયામાં આવેલ ચર્ચામાં ધાર્મિક કાર્યક્રમમાં 200થી વધુ લોકો ઉમટ્યા : સોશિયલ ડિસ્ટન્સનો ભંગ સાથો સાથ માસ્ક કે સેનેટાઈઝરની વ્યવસ્થા પણ કરી નહી

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટોકરવા ગામે આવેલ ચર્ચમાં ધાર્મિક કાર્યક્રમ માટે 200 થી વધુ વ્યક્તિ ભેગા થયા હોય અને કોરોના ગાઈડલાઈન નો ભંગ થતા સોનગઢ પોલીસે સ્ટેશનમાં આ અંગે ફરીયાદ નોંધવામાં આવી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ટોકરવા ગામે આવેલ મિસ્ત્રી ફળિયામાં આવેલ ચર્ચામાં રવિવારે ધાર્મિક કાર્યક્રમમાં વિષ્ણુભાઈ સુરજીભાઈ ગામીતે 200 થી વધુ વ્યક્તિ ભેગા કર્યા હતા અને હાલ કોરોના ગાઈડ લા ઈન ચાલી રહી હોય તેનો ભંગ કર્યો હતો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો સાથો સાથ માસ્ક કે સેનેટાઈઝર ની વ્યવસ્થા પણ કરી ન હતી જે અંગે સોનગઢ પોલીસ ને જાણ થતાં સોનગઢ પોલીસે વિષ્ણુ ગામીત સામે ગુનો નોંધી આગળ ની તપાસ શરૂ કરી છે

(10:21 pm IST)