Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિની નિમણુંક માટેની સર્ચ કમિટીમાં વરણી

પાટણ તા. ર૮: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે છેલ્લા કેટલાક વર્ષોથી કાર્યભાર સંભાળી રહેલા ડો. બી. એ. પ્રજાપતિને રાજય સરકાર દ્વારા ફરજમાં મોકુફ કરાયા બાદ મેડિકલ ફેકલ્ટીના ડીન તરીકે સેવા આપી રહેલા ડોકટર અનિલભાઇ નાયકને યુનિવર્સિટીના ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

યુનિવર્સિટીમાં નવીન કુલપતિની નિમણુંક કરવા માટે સરકાર તરફથી સુચના નવીન કુલપતિની નિમણુંક કરવા માટે સૌ પ્રથમ ચાર સભ્યોની સર્ચ કમિટીની રચના કરવામાં આવે છે જેમાં પ્રથમ સભ્ય પસંદગી યુનિવર્સિટી એકેડેમીક અને કારોબારી સમિતિની સંયુકત બેઠકમાં કરવામાં આવે છે જયારે બીજા સભ્યની નિમણુંક યુનિવર્સિટીના કુલપતિઓની બેઠકમાં પસંદગી કરવામાં આવે છે જયારે ત્રીજો સભ્ય યુજીસી દ્વારા મૂકવામાં આવે છે અને ચોથા સભ્યોની પસંદગી રાજયના ગવર્નર દ્વારા કરવામાં આવે છે.

એકેડેમિક કાઉન્સિલના સભ્ય અને પાટણની પી. કે. કોટાવાલા આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ ડો. લલિતભાઇ પટેલ દ્વારા ઇન્ડીયન મેડીકલ એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહેલા તેમજ રાજકોટ ખાતે પેથોલોજીસ્ટ ડોકટર તરીકમે કામ કરી રહેલા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંકળાયેલા ડોકટર અતુલભાઇ પંડયાના નામની દરખાસ્ત કરવામાં આવતા મહેસાણા કોલેજના પ્રિન્સિપાલ ડો. જે. કે. પટેલે ટલેકો જાહેર કરતા તમામ સભ્યોએ સર્વસંમતિથી ડોકટર અતુલભાઇ પંડયાની યુનિવર્સિટીના નવા કુલપતિની નિમણુંક કરવા માટે બનાવવામાં આવેલી સર્ચ કમિટીના સભ્ય તરીકે વરણી કરવામાં આવી હતી.

(3:41 pm IST)