Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

અમદાવાદમાં વધુ 247 કેસ સહીત રાજ્યમાં કોરોનાના નવા 367 કેસ નોંધાયા :કુલ કેસ 15,572 થયા : વધુ 22 લોકોના મોત

સુરતમાં 44, વડોદરા 33, મહિસાગર 8, કચ્છ અને રાજકોટમાં 7-7, ગાંધીનગર-4, નવા કેસ : આજે 454 દર્દીઓ સહીત રાજ્યમાંસાજા થયેલા દર્દીઓની સંખ્યા 8001 થઇ

અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધતો જાય છે. રાજ્યમાં કોરોના વાયરસના નવા 367 પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ્યારે 454 દર્દીઓ સ્વસ્થ્ય થઇને ઘરે ગયા છે. રાજ્યમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસની સંખ્યા 15572 થઇ ગઇ છે.

અમદાવાદમાં કોરોના વાયરસના નવા 247 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે સુરતમાં 44, વડોદરા 33, મહિસાગર 8, કચ્છ-રાજકોટમાં 7-7, ગાંધીનગર-4, આણંદ-પંચમહાલમાં 2-2, ખેડા-અરવલ્લી-બનાસકાંઠા-બોટાદ-છોટા ઉદેપુર- ગીર સોમનાથ-જૂનાગઢ- મહેસાણા- મોરબી-નવસારી-પાટણ-સુરેન્દ્રનગર-વલસાડમાં 1-1 કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે

જ્યારે રાજ્યમાં અમદાવાદમાં 16, વડોદરામાં 3, કચ્છ-પાટણ અને સુરેન્દ્રનગર ખાતે 1-1 વ્યક્તિનું 24 કલાક દરમિયાન કોરોના વાયરસ મહામારીને કારણે મોત થયુ છે. આ સાથે જ રાજ્યમાં મૃતકઆંક 960 પર પહોચી ગયો છે.

(8:49 pm IST)