Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

અમદાવાદ:પાલડીમાં સાસરિયાના ત્રાસથી કંટાળી મહિલાએ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું

અમદાવાદ:બહેરામપુરામાં રહેતા નિકિતા બેન ઉંમર વર્ષ 27ના લગ્ન પાલડીમાં સુખીપુરાના છાપરામાં રહેતા દીપકભાઈ પી બથવાર માતા સાથે થયા હતા. દિપક બથવાર આંબાવાડી ખાતે ટુ વ્હીલરનો આ વ્યવસાય કરે છે. તેમને સંતાનમાં બે બાળકો છે.

થોડા વર્ષો અગાઉ નિકિતાબેન તેમના બાળકો લઈને બહેરામપુરા માતા-પિતાના ઘરે આવ્યા હતા. તે સમયે તેમણે પતિ અને સાસુ ધનીબેન ઘરકામ અને રસોઈ બાબતે હેરાન કરી પરેશાન કરતા હોવાનું જણાવ્યું હતું. તે સિવાય પતિ નાની નાની બાબતોમાં નિકિતાબેનને બહાર કાઢી તેમને મારઝૂડ કરી માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા.

પાંચ દિવસ અગાઉ પતિનું કામ ધંધો બંધ હોવાથી તેણે નિકિતાબેનને સાસરીમાંથી પૈસા તેમજ કરિયાણું લઇ જવા જણાવ્યું હતું. આથી નિકીતાબેનના ભાઈ ભાવેશભાઈ 5000 રૂપિયા અને ગર્વનો સામાન લઈને તેમના ઘરે આપી આવ્યા હતા.

(6:04 pm IST)