Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

આડા સંબંધોની શંકા રાખી પતિએ બોલાવી પંચાયત : ત્રણ બાળકો સાથે પત્નીએ ટ્રેન નીચે કૂદીને જીવ દીધો

પતિના વર્તનથી ખુબ જ દુઃખી પત્નીએ ત્રણ સંતાનો સાથે માલગાડી નીચે કૂદીને આત્મહત્યા કરી

 

ચંદોલીઃ માલગાડી ટ્રેન નીચે આવીને ત્રણ બાળકો સાથે માતાના મોતની ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે મહિલાના પતિ તેના ચરિત્ર ઉપર શંકા રાખતો હતો. તેની પત્નીના આડા સંબંધોનો આરોપ લગાવતો હતો. પત્ની ઉપર આડા સંબંધોનો આરોપ નાંખીને પતિએ મંગળવારે પંચાયત બોલાવી હતી. પતિના આવા વર્તનના કારણે દુઃખી પત્નીએ એક પુત્ર, બે પુત્રીઓને સાથે લીને સાંજે ઘરેથી નીકળી હતી. ચારોએ ટ્રેનની નીચે કૂદીને આત્મહત્યા  કરી હતી.

 

મળતી માહિતી પ્રમાણે સૈયદરાજા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા સુદાવ ગામમાં રહેતી 40 વર્ષીય પ્રેમશીલા દેવી અને તેમના પતિ વચ્ચે છાસવારે વિવાદ થતો હતો. પ્રેમશીલાને ત્રણ બાળકો પણ હતા. જેમાં એક 19 વર્ષીય પુત્ર અજીત અને બે પુત્રીઓ ચંચલ અને રંજન હતી. છેલ્લા કેટલાય સમયથી પતિ-પત્ની  વચ્ચે છાસવારે વિવાદ થયો હતો. પ્રેમશીલા ઉપર પતિએ અન્ય પુરુષ સાથે આડા સંબંધો હોવાનો આરોપ લગાવવો હતો. વાત બંને વચ્ચે સંબંધ ખૂબ બગડી ગયો હતો
પત્ની ઉપર લગાવેલા આરોપેને તેનો પતિ જાહેરમાં લાવવા માંગતો હતો. મંગળવારે પતિએ ગામના સંભ્રાંત લોકોને બોલાવીને પંચાયત ભેગી કરી હતી. જ્યાં પતિએ પત્ની ઉપર અન્ય પુરુષ સાથેના આડા સંબંધો હોવાનો આરોપ મૂક્યો હતો. પંચાયતે બંનેને એકબીજા ઉપર વિશ્વાસ કરવાની સલાહ આપી હતી. પરંતુ પ્રેમલતા પતિના વર્તનથી ખુબ દુઃખી હતી.

સાંજે વાગ્યાની આસપાસ ત્રણ બાળકો સાથે પત્ની ઘરેથી નીકળી હતી. હિનૌતા ગામ પાસે ડાઉન લાઈન રાત્ર સાડા આઠ વાગ્યે પીડીડીયુ જંક્શનથી ચંદૌલી તરફ માલગાડી પસાર થઈ હતી. માલગાડી નીચે ત્રણ બાળકો સાથે પત્નીએ કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.

(11:53 pm IST)