Gujarati News

Gujarati News

News of Thursday, 28th May 2020

મણિનગરમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાનના અક્ષય તૃતીયાથી અમાસના વિવિધ કલાત્મક ચંદનના શણગાર

 ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ધામમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન - શ્રી ઘનશ્યામ મહાપ્રભુજી તથા શ્રી હરિકૃષ્ણ મહારાજને  શીતળ ચંદનના કલાત્મક અને મનોરમ્ય વાઘાના શણગાર દ્વારા અનોખું ભક્તિઅર્ઘ્ય અપાઇ રહ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં કહેવાય છે, ‘યથા દેહે, તથા દેવેએટલે કે આપણે આપણા જીવન દરમ્યાન જે કંઈ સુખ-સગવડ વધારીએ અથવા તો તેનો ઉપયોગ કરીએ તેટલું અથવા તેનાથી વિશેષ ભગવાનનું જતન કરવું જોઈએ. ગ્રીષ્મ ઋતુમાં સૂર્ય પોતાની અગન જ્વાળાઓ વિસ્તારી રહ્યો છે. થરમોમીટરના પારાને હચમચાવી નાખતી ગરમી વરસી રહી છે અને માણસો આકુળ-વ્યાકુળ થઇ રહ્યા છે, ત્યારે સમયમાં માણસ ગરમીથી બચવા એસી અને કુલરનો ઉપયોગ કરે છે તથા આઈસ્ક્રીમ અને કેન્ડી દ્વારા શરીરમાં આંતરિક ઠંડક કરે છે, ત્યારે ભગવાનને પણ ગરમી લાગે તે માટે હરિભક્તો અનેક ઉપચાર કરતા હોય છે.

અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગ્રીષ્મઋતુ દરમિયાન ભગવાનને શીતળતા પ્રાપ્ત થાય તે માટે સંતો ભકતો દ્વારા ચંદન લાકડાં ઘસી અને તેના વિશિષ્ટ શણગાર ભગવાનનેધરાવવામાં આવે છે. શીતળતા આપવામાં શિરમોર એવું ચંદન ભગવાનના અંગોઅંગ લગાડી ભગવાનને ગરમીથી રાહત મળે તે માટે પૂજનીય પૂજારી સંતો અર્ઘ્ય અર્પણ કરતા હોય છે. ચંદન સમર્પણનું પ્રતિક છે. તે ઘસાય છે, છતાં પણ સુગંધ આપે છે અને માનવજીવનમાં ભગવાનની કસોટીમાં પણ પોતાનાં સદ્ ગુણો જાળવી રાખવાની પ્રેરણા આપે છે. વૈશાખ સુદ ત્રીજ(અક્ષય તૃતીયા - અખાત્રીજ)થી લઇ વૈશાખ વદ અમાસ સુધી  ભગવાનને ચંદનના વાઘા  ધરારાવવામાં આવે છે. જેના દર્શન કરી સંતો ભક્તો અને ભાવિકો ગ્રીષ્મઋતુમાં આંતરિક શીતળતા અનુભવે છે. દિવસો દરમ્યાન સુ

સૂર્યાસ્ત બાદ ભગવાનને ઘરાવેલ ચંદન ઉતારી લેવામાં આવે છે અને સંતો અને હરિભકતો દ્વારા તે ચંદનની ગોટી બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ તેઓ નિત્યપૂજામાં તિલક કરવા માટે કરે છે, જેને કારણે ભગવાનનું પ્રસાદીભુત ચંદન સદાય તેમના ભાલે રહે છે અને પવિત્રતા તથા શીતળતાનો સંચાર થાય છે

વર્લ્ડ હેરિટેજ સીટી - મહાનગર અમદાવાદ શહેરની દક્ષિણે આવેલા મણિ સમ સોહતા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના શ્રી સ્વામિનારાયણ મંદિરે શ્રી સ્વામિનારાયણ ભગવાન - શ્રી ઘનશ્યામ મહાપ્રભુજી, હરિકૃષ્ણ મહારાજને ચંદનના વાઘાના વિશિષ્ટ શણગાર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય પૂજારી સંતો દ્વારા કરવામાં આવી હતી. તારીખ ૨૬ એપ્રિલથી ૨૨ મે સુધી અક્ષય તૃતીયા, શુક્લ અને કૃષ્ણ પક્ષની એકાદશીઓ, પૂનમ - અમાસ તથા અન્ય તિથિઓ દરમ્યાન સવારે :૩૦ વાગ્યે શણગાર આરતીથી સાંજે :૦૦ વાગ્યે સંધ્યા આરતી સુધી ભગવાનના ચંદનના શણગારનાં દર્શન ભાવિકો લોકડાઉનમાં ઈન્ટરનેટના માધ્યમથી લાઈવ કરીને ભગવાનનાં દર્શન કરી આંતરિક શીતળતા પ્રાપ્ત કરતા હતા. અહીં અક્ષય તૃતીયાથી અમાસ સુધીના કલાત્મક મનોરમ્ય ચંદનના શણગાર દર્શન કરવા મળશે.

 

(10:51 pm IST)