Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

આણંદ તાલુકાના ચિખોદરામાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 95 હજારની મતાની તફડંચી કરી

આણંદ: તાલુકાના ચિખોદરાની શ્રીદર્શન સોસાયટીમાં રહેતા શૈલેષભાઇ ભટ્ટનો પરિવાર સામાજિક પ્રસંગે બહારગામ ગયો હતો. દરમ્યાન તેઓના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. 

ગત રાત્રિના સમયે મકાનનું તાળું તોડીને તસ્કરોએ પ્રવેશ કર્યો હતો. જેઓએ કબાટ, તિજોરી વગેરેમાંથી સોના,ચાંદીના દાગીના, રોકડ સહિતની ૯પ હજારની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ઘટના અંગે આણંદ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાતા ચીખોદરા બીટના કિરણભાઇ તપાસ ચલાવી રહ્યાનું જાણવા મળે છે. 

(5:56 pm IST)