Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

ગળતેશ્વર તાલુકાના મેનપુરામાં નજીવી બાબતે બે પરિવારો બાખડ્યા: સામસામે મારમારી થતા પોલીસ ફરિયાદ

ગળતેશ્વર: તાલુકાના મેનપુરમાં રહેતાં સેનવા પરિવારો વચ્ચે નજીવી બાબતે ઝઘડો થતા બંને જૂથો સામસામે આવી જતાં મારામારીના દ્દશ્યો જોવા મળ્યાં હતાં. બનાવ અંગે બંને પક્ષોની ફરિયાદને આધારે સેવાલિયા પોલીસે સાત વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

મળતી માહિતી મુજબ મેનપુરાના વણકરવાસ વિસ્તારમાં ચંદુભાઈ શંકરભાઈ સેનવા પોતાના પરિવાર સાથે રહે છે. નજીકમાં રહેતાં તેમના કુટુંબિક ભાઈ જીગ્નેશભાઈ મગનભાઈ સેનવા ગતરોજ મોડી સાંજના સમયે ચંદુભાઈના ઘરે આવીને તારા તાંબાના પાણી ભરવાના ઘડા કોઈ લઈ ગયું છે એમાં તુ અમારા નામ કેમ આપે છે તેમ કહી ગાળો બોલવા લાગ્યો હતો. જેથી ચંદુભાઈએ ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઈ ગયેલા જીગ્નેશભાઈએ લાકડાનું ઝુડીયું ચંદુભાઈને માર્યું હતું.દરમ્યાન જીગ્નેશભાઈના ભાભી હંસાબેન સેનવા તેમજ ભત્રીજો કૌશીકભાઈ પણ ત્યાં આવીને ચંદુભાઈને ગડદાપાટુનો માર મારવા લાગ્યાં હતાં. આ બનાવ અંગે ચંદુભાઈ શંકરભાઈ સેનવાની ફરિયાદને આધારે સેવાલિયા પોલીસે જીગ્નેશભાઈ મગનભાઈ સેનવા, હંસાબેન લ-મણભાઈ સેનવા અને કૌશીકભાઈ લ-મણભાઈ સેનવા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

(5:56 pm IST)