Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

આણંદમાં અગાઉ અર્ધ બેભાન હાલતમાં મળી આવેલ આધેડ સ્ત્રીનું સારવાર દરમ્યાન મોત

આણંદ: નગરના ગુરૂદ્વારા સર્કલ નજીકથી આજથી ૧૪ દિવસ પહેલા અર્ધ બેભાન હાલતમાં મળી આવેલી અજાણી આધેડ સ્ત્રીને જુદી જુદી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા બાદ આખરે આજે સવારે અમદાવાદ શહેરની સીવીલ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.

અમદાવાદની સીવીલ હોસ્પિટલના ડૉ. એમ.એન. સ્વામિનારાયણે આજે સવારે આણંદ રેલ્વે પોલીસ મથકનો સંપર્ક સાધીને આ અજાણી સ્ત્રીના નિપજેલ મોત અંગે જાણ કરી હતી. જેના આધારે રેલ્વે પોલીસે અકસ્માત મોતની જાણવાજોગ નોંધ કરીને મરનાર સ્ત્રીના નામઠામની માહિતી પ્રાપ્ત કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. પોલીસ દ્વારા પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર આણંદ નગરના ગુરૂદ્વારા સર્કલ નજીકથી ગત તા. ૧૩મીના રોજ પંચાવન વર્ષની એક આધેડ સ્ત્રી અર્ધબેભાન હાલતમાં મળી આવી હતી. આથી તેને પ્રથમ આણંદની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.

(5:52 pm IST)