Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

ગળતેશ્વર તાલુકામાં રોગચાળો વકર્યો: યુવાનનો જીવ લીધો: 50થી વધુની હાલત ગંભીર

ગળતેશ્વર: તાલુકામાં રોગચાળાએ માથુ ઊંચકતા એક આશાસ્પદ યુવાનનું મોત નિપજ્યું છે. જ્યારે ૫૦થી વધુ વ્યક્તિઓની હાલત ગંભીર બની છે. જેમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. ચાર દિવસથી પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું પાણી ભળી જતા આ રોગચાળો ફેલાયો છે.

આ અંગે ચાર દિવસથી સંબંધિત અધિકારીઓ સમક્ષ ગ્રામજનોની ઉગ્ર રજૂઆત છતાં  આ સમસ્યાનું કોઇ નિવારણ આવેલ નથી. અને તેમાં આજે ગામમાં રહેતા ૧૮ વર્ષિય અજયભાઇ બાબુભાઇ વસાવાનું હેવી ડાયેરીયાને કારણે મોત નિપજતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. બીજા કોઇ રહીશનો ભોગ લેવાય તે પહેલા આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.

(5:51 pm IST)