Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

કપડવંજ તાલુકામા પરિણીતાને સંતાન ન થતા નણદોઈ દ્વારા વારંવાર થતા દુષ્કર્મથી કંટાળી મહિલાએ પોલીસના દરવાજા ખટખટાવ્યા

કપડવંજ: તાલુકાના એક ગામની પરણિતાને સંતાન ન થતું હોઇ નણદોઇ દ્વારા વારંવાર બળાત્કાર થયાની અને આ ઘટનામાં પતિ,સાસુ અને સસરાએ સાથ આપ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે દોઢ વર્ષ સુધી બળાત્કારનો ભોગ બનેલ મહિલાએ કપડવંજ રૂરલ પોલીસ મથકે આ પાંચેય ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર કપડવંજ તાલુકાના થવાદલાટ ગામે ઉમેશભાઇ કેશવભાઇ પટેલ રહે છે. બે વર્ષ અગાઉ ઉમેશભાઇના લગ્ન મહારાષ્ટ્રના લક્ષ્મીપેટમાં રહેતી એક યુવતી સાથે થયા હતા. લગ્નના બે વર્ષ બાદ પણ સંતાન ન થવાથી મહિલાએ બાયડ અને મોડાસાની હોસ્પિટલમાં તપાસ કરાવી હતી. જેમાં યુવતીનો રીપોર્ટ નોર્મલ આવ્યો હતો  અને ડોક્ટરોએ બાળક થશે તેવુ પણ જણાવ્યું હતું. આથી આ પરણિતાએ પતિને પણ રીપોર્ટ કરાવવા કહ્યુ હતુ. પરંતુ પતિએ  મારે આવા કોઇ રીપોર્ટની જરુર નથી તેમ કહ્યું હતું. 

(5:50 pm IST)