Gujarati News

Gujarati News

News of Tuesday, 28th May 2019

અંકલેશ્વરના ભડકોદ્રા પાસે પેસેન્જર ભરેલી વાન અચાનક પલટી ખાઈ જતા એક ઘાયલ

અંકલેશ્વરના ભડકોદ્રા રોડ ઉપર પુર ઝડપે પસાર થતી એક વાન અચાનક પલ્ટી મારતા વાનમાં સવાર એક પેસેન્જરને ઇજા પહોંચી હતી.જેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયો હતો.

   આ અંગે મળતી વિગત મુજબ અંકલેશ્વર ભડકોદ્રા રોડ ઉપરથી પેસેન્જરો ભરી પસાર થતી મારૂતિ વાન નં. GJ-07-BN-1650 એકા એક પલ્ટી મારી જતા વાનમાં સવાર પેસેન્જરોના જીવ તાળવે ચોંટયા હતા. જોકે આ ઘટનામાં વાનમાં સવાર એક ઈસમ નેત્રંગના રહેવાસી ૪૫ વર્ષીય નરેંન્દ્ર ભગતને સામાન્ય ઇજાઓ પહોંચી હતી

 . અકસ્માતની જાણ કરાતા ઘાયલને ૧૦૮ મારફતે સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.આ ઘટનામાં વાનને મોટું નુકશાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના અંગે અંકલેશ્વર પોલીસે વધુ તપાસ હાથધરી છે.

(1:33 pm IST)