Gujarati News

Gujarati News

News of Saturday, 28th April 2018

રાજ્યપાલ આનંદીબેનના ઉપસચિવ તરીકે અધિક કલેકટર કેયુર સંપટ

મધ્યપ્રદેશમાં પ્રથમ વખત જી.એ.એસ. કેડરના અધિકારીની નિમણૂંક

રાજકોટ, તા. ૨૮ :. મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલના મુખ્ય મથક રાજભવન, ભોપાલમાં ઉપસચિવ તરીકે ગુજરાતના અધિક કલેકટર કક્ષાના અધિકારી શ્રી કેયુર સી. સંપટની નિમણૂક કરવામાં આવી છે. મધ્યપ્રદેશમાં ગુજરાત વહીવટી સેવા વર્ગના કોઈ અધિકારીની નિમણૂક થઈ હોય તેવો કદાચ આ પ્રથમ પ્રસંગ છે. તેમના પર અભિનંદન વર્ષા (મો. ૯૪૨૬૯ ૬૨૧૧૧) થઈ રહી છે.

શ્રી કે.સી. સંપટ હાલ અમદાવાદ ખાતે સરદાર પટેલ વહીવટી સેવા સંસ્થાન (સ્પીપા)માં સંયુકત નિયામક તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ અગાઉ અમરેલીમાં નિવાસી નાયબ કલેકટર તરીકે રહી ચૂકયા છે. શ્રીમતી આનંદીબેન ગુજરાતમાં કેબીનેટ મંત્રી અને મુખ્યમંત્રી પદે હતા તે વખતે તેમના અંગત સચિવ તરીકે રહી ચૂકયા છે. વહીવટી ક્ષેત્રે કાબેલ અધિકારી તરીકે જાણીતા છે.

(12:21 pm IST)