Gujarati News

Gujarati News

News of Friday, 28th February 2020

અમદાવાદના બાપુનગરમાં કાપડ બજારમાં ભીષણ આગ : 20 જેટલી દુકાનો આગની લપેટમાં : છથી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી

ફાયરકર્મીઓ દ્વારા આગ બુઝાવવાની કામગીરી: લોકોમાં અફરાતફરીનો માહોલ

અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર સામેના કાપડ બજારમાં ભીષણ આગ લાગી. આગની ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની 6થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જોકે, આગ કયા કારણે લાગી તે અંગે કોઈ કારણ બહાર આવ્યુ નથી. તો બીજી તરફ 20 જેટલી દુકાનો આગની લપેટમાં આવી ગઈ છે.

ફાયરકર્મીઓ દ્વારા આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ફાયર વિભાગ દ્રારા પાણીનો યુદ્ધના ધોરણે મારો ચલાવવામાં આવ્યો હતો. પણ આગ એટલી ભીષણ લાગી રહી છે કે આગ વધારે ને વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. તો બીજી તરફ લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે

(10:54 pm IST)