Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

હિંમતનગરમાં પૂ,મહંતસ્વામીનું આગમન ;હરિભક્તોમાં હરખની હેલી

પૂ,મહંતસ્વામીના સાનિધ્યમાં બીજી જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમો :પૂ,શ્રી હરિભક્તોને સવારની પૂજા અને સાંજની સભામાં આપશે દર્શન

સાબરકાંઠાના હિંમતનગરના આંગણે  બીએપીએસના વડા પૂજ્ય મહંત સ્વામીનું આગમન થતા હરિભક્તોમાં હરખની હેલી છવાઈ છે હરિભક્તોએ તેમનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું હતું. મહંત સ્વામી 27 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી 2018 સુધી સાબરકાંઠામાં રોકાણ કરશે.

પૂજ્ય મંહત સ્વામીના સાંનિધ્યમાં આજથી બીજી જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમ યોજાશે પૂજ્ય મહંત સ્વામી હરિભક્તોને સવારની પૂજામાં અને સાંજની સભામાં એમ બે સમયે દર્શન આપશે. તેમનું રોકાણ હિંમતનગર મંદિર ખાતે રહેશે. મહંત સ્વામીના આગમને મંદિરમાં સુંદર સજાવટ કરવામાં આવી હતી તેમજ મંદિર સંચાલકો દ્વારા હરિભક્તો માટે તેમજ દર્શાનાર્થીઓ માટે રહેવાની તેમજ બંને ટાઈમ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે .

(10:17 pm IST)