Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

સેલવાસમાં તસ્કરોએ ત્રણ ફ્લેટમાં તસ્કરી કરી: 17 તોલા દાગીનાની ચોરી

વાપી:સેલવાસના ૫ીપરીયા અને ડોકમરડી વિસ્તારમાં ચાર પૈકી ત્રણ ફલેટોમાંથી તસ્કરો કુલ ૧૭ તોલા સોનાના દાગીના અને રોકડા રૂ.૪૪ હજાર મળી કુલ રૂ. ૪.૨૯ લાખના માલમત્તાની ચોરી કરી ભાગી છૂટયા હતા. એક ફલેટમાંથી તસ્કરોને કશું હાથ લાગ્યું ન હતું. ધોળે દિવસે બનેલા બનાવને લઈ પોલીસની આબરૂના ધજાગરા ઉડી ગયા હતા.

સેલવાસના યોગીદર્શન-૧માં રહેતા હર્ષદ નારણભાઈ પટેલ રવિવારે પરિવાર સાથે ધાર્મિક કાર્યક્રમમાં ગયા હતા. ત્યારે તેમના બંધ ફલેટનો દરવાજો ખોલી તસ્કરો અંદર ઘુસ્યા હતા. અને બેડરૂમમાં રહેલા કબાટમાંથી ૧૪ તોલા સોનાના દાગીના, ચાંદીના દાગીના મળી કુલ રૂ. ૨.૬૭ લાખના મુદ્દામાલની ચોરી કરી ભાગી છૂટયા હતા. ઘટનાની જાણ પાડોશીએ કરતા પટેલ પરિવાર ઘરે દોડી ગયું હતું.  તેમના પાડોશમાં રહેતા સત્યવર્ધન પ્રકાશ સિન્હાની પત્ની બપોરે મંદિરે ગયા હતા. તે દરમિયાન તસ્કરો ફલેટમાં ઘુસી ૨ તોલા સોનાના દાગીના, ચાંદીની ચીજવસ્તુ અને રોકડા રૂ. ૧૦ હજારની ચોરી કરી ગયા હતા. 

(5:36 pm IST)