Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

અરવલ્લીના દેવની મોરી ગામે સ્મશાનમાં વનવિભાગે ખાડા ખોદી નાખતા લાશ 6 કલાક સુધી રઝળતી રહી !

અરવલ્લીના દેવની મોરી ગામે એક વિચિત્ર વિવાદ ઉભો થયો છે દેવની મોરી ગામે સ્મશાન હોવા છતાં વનવિભાગ દ્વારા સ્મશાનમાં ખાડાઓ ખોદાયા છે અને શા માટે ખાડા ખોદાયા છે તેનું કારણ વન વિભાગનાં અધિકારી ગેરહાજર હોવાથી  હાલ જાણવા મળેલ નથી.

આ સમસ્યાને કારણે એક મહિલાની લાશને અગ્નિદાહ આપતા પહેલાં લગભગ 6 કલાક રજળી પડી હતી. ડાઘુઓએ પણ શું કરવું તે બાબતે તેઓ દ્વિધામાં પડી ગયા હતા.

(8:14 pm IST)