Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે મહામાનવનું સન્માન : વાઘાણી

પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાદ્યાણીની ઉપસ્થિતિમાં શહેરના વોર્ડ નં.૦૯-૧૦માં ભવ્ય એકતા રથયાત્રા યોજાઈ. હાથી-અશ્વ, બાઈક રેલી, સાફા પહેરેલા સેંકડો ભાઈ-બહેનો, ઢોલ નગારા સાથે રાસ-ગરબાની રમઝટ જબરૂ આકર્ષણ બની, ઇન્દીરા સર્કલ ખાતે સ્વાગત પોઈન્ટ પર આદિવાસી નૃત્યની જમાવટઃ સંતો મહંતો, સમાજના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિ, એકતા યાત્રાની યાદગાર સફળતા માટે મેયર શ્રીમતિ બિનાબેન આચાર્ય તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ સૌનો આભાર વ્યકત કર્યો

રાજકોટ, તા. ર૭ : રાષ્ટ્રની અખંડિતતાના શિલ્પી સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનુસંધાને પ્રદેશ ભાજપ પ્રમુખ   જીતુભાઈ વાદ્યાણીની ઉપસ્થિતિમાં શહેરના વોર્ડ નં.૦૯-૧૦માં  ભવ્ય એકતા રથયાત્રા યોજાઈ. આ એકતા યાત્રાનું દીપ પ્રાગટ્ય ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાદ્યાણી, મેયર બિનાબેન આચાર્યના વરદ્ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાદ્યાણીએ જણાવ્યું હતું કે, ભારતના લોખંડી મહામાનવ સરદાર વલ્લભભાઈ પટેલએ ભારત દેશ માટે ભગીરથ કાર્ય કરેલ છે અને વિશ્વ કક્ષાએ જેમની ગણના થઇ રહી છે તેવા મહામાનવનું સન્માન જળવાય તે માટે ભારતના  પ્રધાનમંત્રી   નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાત રાજયના મુખ્યમંત્રી   વિજયભાઈ રુપાણીના નમ્ર પ્રયાસ રૂપે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું નિર્માણ કાર્ય પૂર્ણતાને આરે છે. દેશ માટે જેમનું મહામુલુ યોગદાન છે તેવા સરદાર વલ્લભભાઇ પટેલ પ્રત્યેનું આ ઋણ અદા કરેલ છે. આગામી તા.૩૧/૧૦/૨૦૧૮ના રોજ માન. પ્રધાનમંત્રી   નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ થશે.

એકતા રથ યાત્રા પ્રસંગે મેયર બિનાબેન આચાર્યએ જણાવેલ કે, દેશની એકતા અને અખંડિતતા માટે જેમણે મહામુલુ યોગદાન આપેલ છે તેવા સરદાર પટેલનો એકતાનો સંદેશ રાજયભરમાં પહોચે તેવા પ્રયાસરૂપે એકતા રથ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.

સ્વામી પરમાત્માનંદજીએ ગુજરાતની   વિજયભાઈ રૂપાણીની સરકાર તેમજ કેન્દ્રની   નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા દેશમાં અખંડિતતા જળવાઈ રહે તે માટેના આ પ્રયત્નોને આશીર્વાદ પાઠવેલ.

આ પ્રસંગે સાંસદ   મોહનભાઈ કુંડારિયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ   કમલેશભાઈ મીરાણી, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારસભ્ય  ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અંજલીબેન રૂપાણી, પુર્વ ભાજપ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા સમાજ અગ્રણીઓ કાશ્મીરાબેન નથવાણી, નરેન્દ્રભાઈ સોલંકી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ગૌતમભાઈ ધમસાણિયા, ઇન્ડિયન મેડીકલ એસોસિએશનના હિરેનભાઈ કોઠારી, પ્રેસ જગતના કાન્તીભાઈ કતીરા, રામભાઈ બરછા, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ જીલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, વોર્ડ નં.૦૯ના કોર્પોરેટર પુષ્કરભાઇ પટેલ, રૂપાબેન શીલુ, શિલ્પાબેન જાવિયા, વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર અશ્વિનભાઈ ભોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, શહેર ભાજપ ઉપપ્રમુખ સંગીતાબેન છાયા, મંત્રી વિક્રમ પુજારા, વોર્ડ નં.૦૯ તથા ૧૦ના પ્રભારી ગીરીશભાઈ ભીમાણી, માધવભાઈ દવે, પ્રમુખ જયસુખભાઈ કાથરોટીયા, રજનીભાઈ ગોલ, મહામંત્રી કમલેશભાઈ શર્મા, હરેશભાઈ કાનાણી, પરેશભાઈ તન્ના તથા રાજકોટની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, સભ્યો, શહેરીજનો અને યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ.(૧૭.૧૮)

    

(3:47 pm IST)