Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

સરદાર પટેલની પ્રતિમાના મુખને લઈ ખેડૂતો ઉઠાવી રહ્યા છે સવાલઃ અર્જુન મોઢવાડિયા

આ ભાજપની એકતાયાત્રા નથી પ્રચાર યાત્રા છે.

અમદાવાદ :એક બાજુ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું 31 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લોકાર્પણ કરવા જઈ રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જૂન મોઢવાડિયાએ જણાવ્યુ કે, ખેડૂતો સરદાર પટેલની પ્રતિમાના મુખને લઈ સવાલ ઉઠાવી રહ્યા છે. કે, સરદાર સાહેબનું મુખ આવું કેમ છે. તેણે ભાજપ પર પ્રહારો કરતા કહ્યુ કે, આ ભાજપની એકતાયાત્રા નથી પ્રચાર યાત્રા છે.

(11:51 am IST)