Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

ગુજરાત : સ્વાઇન ફ્લુના વધુ ૨૩ કેસ સપાટી પર આવ્યા

સ્વાઈન ફ્લુના અમદાવાદમાં વધુ બે કેસ નોંધાયાઃ અમદાવાદમાં કુલ કેસોની સંખ્યા વધીને ૬૭૨ થઇ ગઇ

અમદાવાદ, તા.૨૬: ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં સ્વાઈન ફ્લુના નવા કેસો નોંધાવવાનો સિલસિલો જારી રહ્યો છે. આજે વધુ ૨૩ નવા કેસ નોંધાયા હતા. રાજકોટમાં એકનું મોત થયું હતું. આજે સુરતમાં સૌથી વધુ પાંચ કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ, કચ્છ અને ગાંધીનગરમાં બે-બે નવા કેસ સપાટી ઉપર આવ્યા હતા. સેંકડો દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે અને આ દર્દીઓને જુદી જુદી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. અમદાવાદમાં વિવિધ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લુના દર્દીઓ માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ૧૪૨૨ દર્દીઓને સારવાર આપવામાં આવ્યા બાદ આ લોક સ્વસ્થ થઇ ચુક્યા છે અને રજા આપી દેવામાં આવી છે. અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં સ્વાઈન ફ્લુના વધુ ૨ કેસ નોંધાઈ ચુક્યા છે. જો કે, આંકડાઓને લઇને વિરોધાભાષની સ્થિતિ છે.  સ્વાઈન ફ્લૂને રોકા માટે અમદવાદ સહિત રાજ્યના જુદા જુદા સૌથી અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ પગલાં લેવામાં આવ્યા હોવા છતાં કેસો વધી રહ્યા છે. રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કારણે ભારે હાહાકાર મચેલો છે. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં જ સ્વાઈન ફ્લૂના ૨૩ નવા કેસો સપાટી ઉપર આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. રાજ્યમાં જાન્યુઆરી બાદથી મોતનો આંકડો ૫૫ ઉપર પહોંચી ગયો છે જ્યારે કુલ કેસોની સંખ્યા વધીને ૧૭૨૨ સુધી પહોંચી ગઈ છે. સ્વાઈન ફ્લૂથી ગ્રસ્ત થયા બાદ સારવાર હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા ૧૭૨થી વધુ છે. આવી સ્થિતિમાં સ્વાઈન ફ્લૂના લીધે હાલત કફોડી બનેલી છે. મોટી સંખ્યામાં દર્દીઓને યોગ્ય સારવાર આપવામાં આવ્યા બાદ રજા પણ આપી દેવાઈ છે. સ્વાઈન ફ્લુનો આતંક દર વર્ષે જોવા મળે છે. ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના કારણે અસરગ્રસ્ત વિસ્તારમાં સૌથીવધુ અસર અમદાવાદમાં થઈછે. જ્યાં ૬૭૨ કેસ નોંધાઈ ચુક્યા છે. અમદાવાદમાં મોતનો આંકડો પણ રાજ્યના અન્ય વિસ્તારો કરતા વધારે છે. સ્વાઈન ફ્લૂથી ગ્રસ્ત પોઝીટીવ લોકોની સંખ્યા રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચી ચુકી છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લુથી રાજ્યમાં સૌથી વધુ ૨૦ના મોત થયા છે. રાજ્યભરમાં સ્વાઈન ફ્લુની સૌથી વધુ અસર અમદાવાદમાં છે.

(10:26 pm IST)