Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણના નિર્ણય સામે કર્મચારીઓની ૧ દિ'ની ભૂખ હડતાલ...

રાજકોટ તા. ર૭ :.. મુંબઇ અને દિલ્હી બાદ અમદાવાદના એરપોર્ટનું ખાનગીકરણ કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે, તેના વિરોધમાં જોઇન્ટ ફોરમ ઓફ યુનિયન એન્ડ એસોસીએશન ઓફ એરપોર્ટ ઓથોરિટી ઇન્ડિયાના અમદાવાદના કર્મચારીઓએ એરપોર્ટ ખાતે એક દિવસ ભૂખ હડતાળ કરી હતી.

નફો કરતા અમદાવાદના એરપોર્ટનું ખાનગીકરણ રોકવા આંદોલન ચાલુ રખાશે. એવિએશન મંત્રાલયની નીતિ મુજબ મુંબઇ અને દિલ્હી એરપોર્ટ પેસેન્જર ફેસેલિટીમાં ઘણા પાછળ છે. હકિકતમાં બંને એરપોર્ટ નફો કરતા એરપોર્ટ છે. ઇન્ટરનેશનલ લેવલની સરખામણીમાં બંને એરપોર્ટનું રેટિંગ ૩.૭ નું છે.

(1:04 pm IST)