Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ગાંધીનગરમાં સે-4માં આંખલાનો આતંક: લોકોના વાહનને નુકશાન પહોંચાડતા ભયનો માહોલ

ગાંધીનગર:શહેરમાં ચોમાસા દરમિયાન રખડતાં ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે સેક્ટર-4એમાં ઓમકારેશ્વર મંદિરની પાસે બે આખલાઓની લડતમાં  વસાહતીના વાહનોને પણ નુકશાન થઇ રહ્યું છે. ત્યારે રહિશો દ્વારા અવાર નવાર રજૂઆતો કરવા છતાં આખલાઓને પકડવા માટેની કોઇ કાર્યવાહી કરવામાં નહીં આવતાં સ્થાનિકોમાં રોષ પણ ઉભો થયો છે.

ગાંધીનગર શહેરમાં રખડતાં ઢોરોને પકડવા માટે તંત્ર દ્વારા યોગ્ય રણનીતિ બનાવવામાં નહીં આવતાં અવાર નવાર સ્થાનિકોને ભોગ બનવું પડે છે. ત્યારે રખડતાં ઢોરો સેક્ટરના સ્થાનિક રહિશો માટે આફત બન્યા છે. સેક્ટરોના ખુલ્લા મેદાનો તેમજ કોમન પ્લોટમાં દિવસ અને રાત્રીના સમયે અડીંગો જમાવીને બેસી જતાં આખલાઓ ઘણી વખત વાહનચાલકો તેમજ અવર જવર કરતાં સ્થાનિકોને અડફેટે લઇ રહ્યાં છે. જેના પગલે અકસ્માતનો સામનો પણ કરવો પડે છે. 

(4:54 pm IST)