Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

અંકલેશ્વરના ગડખોલ પાટીયા પાસે ટ્રેન અડફેટે મહિલાનું મોત

સુરવાડી રેલ્વે ફાટક પાસે ઊભી હતી.ત્યારે ટ્રેનની અડફેટે આવી જતાકરૂણમોત

અંકલેશ્વરના ગડખોલ પાટીયા પાસે આવેલા રેલ્વે ફાટક પાસે નવા દીવાગામની મહિલા ટ્રેનની અડફેટે આવી જતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

  પોલીસ સૂત્રોની માહિતી મુજબ અંકલેશ્વર તાલુકાના નવા દીવા ગામે રહેતી 40 વર્ષીય રસીલાબેન બાબુ વસાવા ગત તારીખ 26 મીની રાત્રે ગડખોલ પાટિયા પાસે આવેલ સુરવાડી રેલ્વે ફાટક પાસે ઊભી હતી. તેવામાં ત્યાંથી પસાર થતી ટ્રેનની અડફેટે આવી જતા ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાને પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

 આ અંગેની જાણ શહેર પોલીસને થતાં પોલીસે સ્થળ પર દોડી આવી રસીલાબેન વસાવાના મૃતદેહને પોષ્ટમોર્ટમ અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(7:56 pm IST)