Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

મહુધા તાલુકાની પરિણીતા પર ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ ફરિયાદ

મહુધા: તાલુકાના કપરૂપુરની પરિણીતાએ સાસરિયાનો ત્રાસ સહન ન થતાં ઝેરી દવા આપઘાત કર્યો હતો. આ બનાવ અંગે સાસરિયા સામે આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો છે. 

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ કપરૂપુરમાં રહેતી પારૂલબેનને સંતાન ન થતાં સાસરીયા પરિણીતાને છુટાછેડા આપી બીજી બૈરી લાવવી છે તેમજ મેણાં ટોણાં મારી ત્રાસ ગુજારતા હતા. આ ત્રાસ સહન ન થતા પારૂલબેને ઝેરી દવા આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. બનાવ અંગે વીણાબેન ઝાલાની ફરિયાદ આધારે મહુધા પોલીસે નરેશભાઈ ભીમસિંહ સોઢા, ભીમસિંહ સોઢા તેમજ અમરતબેન સોઢા સામે આત્મહત્યાના દુષ્પ્રેરણનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી ધરી છે. 

(6:04 pm IST)