Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

ઠાસરા તાલુકાના જેસાપુરમાં લોખંડના ઘા મારી એકને ઇજા

ઠાસરા: તાલુકાના જેસાપુરામાં ચાવડા ઈસમો વચ્ચે પોલીસને બાતમી આપતા હોવાની શંકાને લઈ ઝઘડો થતાં ચાર ઈસમોએ ગામના ઈસમનું લોખંડની પાઈપ મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ જેસાપુરામાં ચાવડા પરિવારો રહે છે. ગત તા.૨૪ જૂનની રાત્રે અશ્વિનકુમાર ઉર્ફે લાલા હરિશંકર ચાવડાએ ચંદ્રસિંહ ચાવડાને કહેલ કે તું મારૂં નામ ડીઝલ ચોરીમાં પોલીસને કેમ આપે છે તેમ કહેતા ચંદ્રસિંહે જણાવેલ કે હું આ બાબતમાં કંઈ જાણતો નથી. આ વાત સાંભળી અશ્વિનકુમાર ચાવડાએ ગાળો બોલી, ઉશ્કેરાઈ જઈ ચંદ્રસિંહનું ગળુ પકડી લીધું હતું. જ્યારે અન્ય ત્રણ સંબંધીઓએ ઉપરાણુ લઈ ચંદ્રસિંહનું ગળું પકડી ગડદાપાટુ માર માર્યો હતો. આ ઝઘડામાં અશ્વિનકુમાર ચાવડાએ ચંદ્રસિંહને લોખંડની પાઈપ છાતીમાં મારતા જમણી બાજુ મારી ફેક્ચર કર્યું હતું તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. 

આ અંગે ચંદ્રસિંહ ચાવડાની ફરિયાદ આધારે ઠાસરા પોલીસે અશ્વિનકુમાર ઉર્ફે લાલો હરીશંકર ચાવડા, ચંદ્રપાલસિંહ, રાજેન્દ્રસિંહ પરમાર, મથુરભાઈ ટીનાભાઈ ચાવડા તથા વિક્રમસિંહ ચાવડાની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(6:04 pm IST)