Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

અમદાવાદના ઇસનપુરમાં બે દુકાનદારો વચ્ચે ધીંગાણું : એરગનથી ફાયરિંંગ બાદ ચપ્પુના ઘા ઝીક્યાં :એક વ્યક્તિ ઘાયલ

અમદાવાદ: ઈસનપુરમાં બે દુકાનદારો વચ્ચે ધીંગાણું થયું હતું જેમાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી છે ઈસનપૂરના વિશાલ નગર પાસે 2 દુકાન માલિકો વચ્ચે માથાકુટ થતાં એરગનથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જણાવા મળ્યા મુજબ એરગનથી ફાયરિંગ કર્યા બાદ ધર્મેન્દ્ર નામાના શખ્સે સુરેશ પ્રજાપતિ નામના વ્યક્તિ પર 3 ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. જેમાં સુરેશ પ્રજાપતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને એલ.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

    વધુમાં મળતી વિગત મુજબ આ બંને વચ્ચે દુકાનને લઈને છેલ્લા ઘણા સમયથી ઝઘડો ચાલતો હતો. જેથી ધર્મેન્દ્ર અને તેના સાળા દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. પહેલા તેઓએ એરગનથી ફાયરિંગ કર્યું હતું અને બાદમાં ચપ્પુના ઘા કમરના ભાગ પર માર્યા હતા. જેથી સુરેશ પ્રજાપતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ પોલીસ અને ઉચ્ચ અધિકારીઓને થતાં તેઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને સમગ્ર પરિસ્થિતિ કાબુમાં લીધી હતી.

(7:33 pm IST)