Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

અંકલેશ્વર નજીક હાઇવે ઉપર ત્રિપલ અકસ્માતઃ દસથી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત

ભરૂચઃ ભરૂચના અંકલેશ્વર નજીક હાઇવે પર પૂરપાટ જઈ રહેલી ટ્રક સાથે લકઝરી બસ અને કાર સાથે અથડાતાં અકસ્માત સર્જાવાની ઘટના બની છે. અકસ્માતમાં 10થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા અને કાર અને બસમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢીને તેમને 108 મારફત સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને કારણે હાઇવે પર થોડીવાર માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધ્યો છે.

ભરૂચના અંકલેશ્વર નજીક હાઇવે પર ટ્રક, લકઝરી બસ અને કાર વચ્ચેના અકસ્માતમાં અત્યારે કોઈ જાનહાનિના સમાચાર નથી, પણ 10થી વધુ વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે. કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(6:00 pm IST)