Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

સુરત દુષ્કર્મ કેસમાં આસારામ વિરૂધ્ધ ગાંધીનગરની સેશન્સ કોર્ટમાં સુનાવણી

ગાંધીનગર તા. ૨૭ : આસારામ વિરૂદ્ઘના સુરત દુષ્કર્મ કેસમાં ગાંધીનગરની સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. આજે અન્ય સાક્ષીઓને તપાસવાની સુનાવણી હાથ ધરાઇ રહી છે. અત્યાર સુધીમાં ૨૮ સાક્ષીઓની જુબાની લેવાઇ છે. વર્ષ ૨૦૧૩માં સુરતની પીડિતાએ ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં આજે સુનાવણી હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે સુરતમાં નારાયણ સાઇને સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો હતો. હવે વધુ સુનાવણી ૧૦જ્રાક મે એ હાથ ધરાશે.. દુષ્કર્મ કેસમાં નારાયણ સાઈને કોર્ટમાં રજૂ કરયો હતો. જયારે કોર્ટમાં હાજર કરાયા ત્યારે નારાયણ સાંઈએ મીડિયા સમક્ષ કોઈ પણ જાતનું નિવેદન આપવાનું ટાળ્યું હતું. સુરક્ષાને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નારયણ સાઈને કોર્ટમાં રજૂ કરાયો હતો.

આ અગાઉ થોડા દિવસો પહેલા જોધપુર યૌનશોષણ કેસમાં આસારામને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં આસારામને આજીવન કેદની સજાનું એલાન કરવામાં આવ્યું હતું ત્યારે આજે ગાંધીનગરની સેશન્સ કોર્ટમાં સુરત દુષ્કર્મ મામલે સુનાવણીમાં હાથ ધરાઇ રહી છે.

(11:46 am IST)