Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં ફાઇનાન્સ કંપનીનું દેવું વધી જતા ટેન્શનમાં આવી યુવાને ફાસો ખાઈ મોતને વ્હાલું કરતા પરિવારની માથે આભ ફાટ્યું

સુરત: શહેરના પાલનપુર જકાતનાકા ખાતે ગુરૃવારે મોડી રાતે યુવાને ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ. લોન આપનાર ફાઇનાન્સ કંપનીનાં માણસો પૈસા લેવા માટે તેને દબાણ કરતા હોવાથી ટેન્શનમાં આવીને આ પગલુ ભર્યુ હોવાનું તેના પરિવારના સભ્યોએ કહ્યુ હતુ.

નવી સિવિલથી મળતી માહિતી મુજબ પાલનપુર જકાતનાકા ખાતે વૃંદાવન સોસાયટી પાસે સુખ સાગર એપાર્ટમેન્ટમાં રહેતો 35 વર્ષીય વિજય રામજીભાઇ લખારાની માતા,પત્ની અને બાળકી સચીન ખાતે સંબંધીના ઘરે ગયા હતા અને તેનો મોટો ભાઇ કામ અર્થે ગયો હતો ત્યારે ગુરૃવારે મોડી રાતે વિજય ઘરે એકલો હતો. વિજયને તેની માતા અને પત્ની ફોન કરતા હતા. પણ તેણે ફોન રીર્સીવ નહી કરતા તેના ભાઇને જાણ કરી હતી. જેથી તેનો ભાઇ તરત ઘરે પહોચ્યો હતો. ત્યારે દરવાજો અંદરથી બંધ હોવાથી તોડીને  અંદર ગયો હતો.ત્યારે વિજય ઘરમાં હુક સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

વિજયના ભાઇએ કહ્યુ કે વિજયને સંતાનમાં 3 વર્ષીય પુત્રી છે.તે પરિવારનું ગુજરાન ચલાવવા જર્વેલસની દુકાનમાં નોકરી કરતો હતો.પણ લોક ડાઉનમાં તેની નોકરી છુટી ગઇ હતી. અને તેને નોકરી નહી મળતા કેટલાક મહિના ઘરે બેસવાનો વારો આવ્યો હતો.બાદમાં તેને ગિફ્ટ આર્ટીકલની દુકાનમાં નોકરી મળી હતી. દરમિયાન તેની ચાલી રહેલી લોનના હપ્તા માટે કંપનીના માણસો અવાર નવાર ફોન કરી દબાણ કરતા અને હેરાન કરતા હતા. આવા સંજોગોમાં તે સતત માનસિક તાણ અનુભવતો હોવાથી આ પગલુ ભર્યુ હતુ. આ અંગે અડાજણ પોલીસે તપાસ હાથ ઘરી છે.

(5:08 pm IST)