Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

અરવલ્લી તાલુકાના વણજ નજીક તીક્ષ્ણ હથિયારના ઘા જીકી અજાણ્યા યુવકની હત્યા કરી નાખતા અરેરાટી

અરવલ્લી વિજયનગર તાલુકાના વણજ નજીક હત્યારાઓએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી અજાણ્યા યુવકની કરપીણ હત્યા કરી નાખતાં સનસનાટી મચી છે. હત્યા પછી પુરાવાના નાશ માટે પથ્થરના ઘા ઝીંકી લાશને પુલીયા નીચે ફેંકી દેતાં પોલીસ હરકતમાં આવી છે. મૃતક કોણ છે અને ક્યા આશયે હત્યા કરવામાં આવી છે..?? તેની તપાસ માટે પોલીસે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લઈ અજાણ્યા હત્યારાઓ વિરૃદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વિજયનગરના વણજ જંગલ વિસ્તાર નજીકથી અજાણ્યા યુવકની કરપીણ હત્યા કરી દેવાતાં પોલીસ હરકતમાં આવી છે. હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે વિવિધ દીશામાં તપાસ હાથ ધરી છે. વિજયનગર પી.એસ.આઈ. એ.એન.ગઢવીનો ટેલિફોનિક સંપર્ક કરતાં હત્યાના બનાવમાં પૈસાની લેતીદેતી અથવા અંગત અદાવત હોવાની આશંકા વ્યક્ત કરી હતી. હાલ તો પોલીસે માત્ર મૃતકની ઓળખ તાત્કાલિક થાય તેવા પ્રયાસો હાથ ધરી બનાવના મૂળમાં જવાનો પ્રયાસ હાથ ધર્યો હોવાનું જાણવા મળ્યું છે.

(5:42 pm IST)