Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

સુરતના અડાજણમાં પિયર જવાની જીદ લઈને પરિણીતાનો ગળેફાંસો ખાઈ આપઘાત ;અરેરાટી

સુરતઃ સુરતના અડાજણ વિસ્તારમાં પિયર જવાની જીદને લઈને પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા અરેરાટી ફેલાઈ છે જાણવા મળ્યા મુજબ અડાજણ વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડમાં રહેતા લક્ષ્મીકાંત લાવણીયાની પત્ની વિધિ (ઉ.વ..24)એ ઘરનો દરવાજો બંધ કરીને પંખા સાથે દુપટ્ટો બાંધીને લટકી ગઈ હતી. આ દરમિયાન પરિવારજનોને જાણ થતાં તેઓ પાછલા દરવાજા પર કુદી પરિણીતાને બચાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ નિષ્ફ્ળ રહયો હતો ચાર વર્ષના લગ્ન જીવન બાદ પરિણીતાએ આપઘાત કરી લેતા ખાનગી હોસ્પિટલ બાદ સિવિલમાં પીએમ માટે લાવવામાં આવી હતી. પોલીસે પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી છે

(1:04 pm IST)