Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

સરખેજ-ગાંધીનગર હાઇવે પર બે કાર અકસ્માતમાં પિતા-પુત્રનું મોત :બે મહિલા એક બાળકને ગંભીર ઇજા

અંદાઝ પ્લાર્ટી પ્લોટ પાસે વેગેનાર અને એન્ડેવર કાર વચ્ચે ટક્કર:ભોગ બનનાર પરિવાર અમદાવાદના બોપલ વિસ્તારનો રહેવાસી:અકસ્માત બાદ કાર ચાલક ફરાર

 

અમદાવાદ ;અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઇવે પર બે કાર વચ્ચે અકસ્માતમાં પિતા-પુત્રના કરૂણમોત નિપજ્યા હતા જયારે બે મહિલા અને એક બાળકને ગંભીર ઇજા પહોંચી હતી જાણવા મળતી વિગત મુજબ ગત રાત્રે અઢી વાગ્યા આસપાસ સરખેજ-ગાંધીનગર હાઇવે પર અંદાઝ પ્લાર્ટી પ્લોટ પાસે વેગેનાર અને એન્ડેવર કાર વચ્ચે ટક્કર થઇ હતી. જેમાં વેગેનાર કારમાં સવાર પિતા-પુત્રનું મોત થયું હતું. મૃતકોની ઓળખ વિપિન કુમાર પાંડ્યા અને અમિત કુમાર પાંડ્યા તરીકે થઇ છે. પરિવાર સુરતથી અમદાવાદના આવી રહ્યો હતો ત્યારે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો.

  કારમાં સવાર પિતા-પુત્રના ઘટનાસ્થળે મોત થયા હતાં જ્યારે બે મહિલા અને એક બાળકની હાલત ગંભીર છે. અકસ્માતનો ભોગ બનનાર પરિવાર અમદાવાદના બોપલ વિસ્તારનો રહેવાસી હતો.

બે કાર વચ્ચે થયેલા અકસ્માત બાદ અન્ય કાર ચાલક કાર મુકીને ત્યાથી ફરાર થઇ ગયો હતો. કાર ચાલકની કારમાં સોડાની બોટલ્સ મળી આવી છે. પોલીસે મામલે કાર જપ્ત કરી કાર માલિક કોણ છે અને કાર કોણ ચલાવી રહ્યુ હતુ તેની તપાસ શરુ કરી છે.

  અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે દોડી આવેલા લોકોના જણાવ્યા મુજબ મોડી રાત્રે બે કાર વચ્ચે ટક્કર થતા મોટો ધડાકો થયો હતો. જેથી તેઓ દોડી આવ્યા હતાં ત્યારે વેગેનાર કારમાં બે લોકોના મોત થઇ ચુક્યા હતા જ્યારે બે મહિલા અને એક બાળક ઘાયલ અવસ્થામાં હતાં જેમને એમ્બ્યુલન્સ બોલાવી હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરાઇ હતી.

(10:26 am IST)