Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

આણંદના આંકલાવના કંથારીયા પાટિયા પાસે એસટી બસની હડફેટે બાઇકસવાર પિતા-પુત્રીના કરૂણમોત

ઘાયલ થયેલા એક મહિલા અને એક બાળકને કરમસદની હોસ્પિટલમાં ખસેડાયા

આણંદના આંકલાવમાંઅકસ્માતની ઘટનામાં પિતા-પુત્રીના મોત થયા હતા. મળતી માહિતી પ્રમાણે બુધવારે સાંજે આંકલાવના આસોદર-વાસદ માર્ગ પર આવેલા કંથારિયાના હળદરી પાટીયા પાસે સુરત-ખંભાત એસ.ટી બસ(GJ18 25707) અને બાઈક(GJ23BS 9804) વચ્ચે અકસ્માત થતા બાઈક પર સવાર પિતા અને પુત્રીના મોત થયા છે.


આ અકસ્માતમાં બાઈક પર સવાર ચાર લોકોમાંથી બેના મોત થયા હતા, જ્યારે ઘાયલ થયેલા એક મહિલા અને એક બાળકને કરમસદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

(8:46 am IST)