Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

મંત્રી મંડળમાંથી બોખીરિયાની બાદબાકી, ગૃહનું સ્પીકર પદ મળવાની સંભાવના

રાજકોટ, તા. ૨૬ :. ભાજપની સરકારોમાં જેનો દબદબો રહ્યો છે તે પોરબંદરના બાબુભાઈ બોખીરિયાનું નામ આજના મંત્રી મંડળની યાદીમાં જોવા ન મળતા આશ્ચર્ય ફેલાયુ છે. તેઓ કોંગ્રેસના ધૂરંધર અર્જુન મોઢવાડિયાને હરાવીને ચૂંટાયા છે. ગઈ સરકારમાં પાણી પુરવઠા મંત્રી હતા. આ વખતે તેમને મંત્રી મંડળમાં સ્થાન મળ્યુ નથી. બાબુભાઈની બાદબાકી બાબતે અલગ અલગ ચર્ચા થઈ રહી છે. તેમને મંત્રી પદેથી વંચીત રખાતા હવે વિધાનસભાનુ અધ્યક્ષ પદ કે ઉપાધ્યક્ષ પદ મળે તેવી સંભાવના વ્યકત થઈ રહી છે. લાંબા સમય બાદ પોરબંદર જિલ્લો મંત્રી મંડળમાં પ્રતિનિધિત્વથી વંચીત થયો છે.

(5:38 pm IST)