Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

નડિયાદ:વાસણા મારગીયાની સગીરા સાથે બળાત્કાર કેસમાં આરોપીને અદાલતે આજીવન કેદની સજાની સુનવણી કરી

નડિયાદશહેરમાં:કોર્ટે બળાત્કાર કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.આરોપીએ સગીરાની બાળક બુધ્ધિનો લાભ લઇ કાયદેસરના વાલીપણામાંથી ભગાડી ગયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર તા.૨૪-૯-૨૦૧૪ ના રોજ વાસણા મારગીયા ગામેથી આરોપી તથા બીજા અન્ય વ્યક્તિઓ ભેગા મળીને સગીરાને ભગાડી ગયા હતા. 

આરોપી  વિષ્ણુ રામજીલાલે સગીરાને લલચાલી સગીરાની બાળક બુધ્ધિનો લાભ ઉઠાવ્યો હતો.અને કાયદેસરના વાલીપણામાંથી સગીરનો લાભ લીધો હતો.સગીરાને લલચાલી ભગાડી લઇ જઇ અવાર નવાર બળાત્કાર ગુજાર્યો હતો.આ બનાવની ફરિયાદ ખેડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હતી.આ કેસમાં ભોગ બનનાર મળી આવતા તેના નિવેદનો લઇ કલમ ૩૭૬નો ઉમેરો કરાયો હતો.આરોપી વિષ્ણુ રામજીલાલ શર્માની ધરપકડ કરાઇ હતી.આજરોજ આ કેસ નડિયાદ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ગોપાલ ઠાકુરની ઉગ્ર દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી હતી.

(5:41 pm IST)