Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

અમદાવાદના વસ્ત્રાપુરમાં કંપનીમાં વધારે નફો કરાવી આપવાની લાલચ આપી ભેજાબાજે વૃદ્ધ સાથે 10 લાખની છેતરપિંડી આચરતા ફરિયાદ દાખલ

અમદાવાદ: શહેરના વસ્ત્રાપુરમાં રહેતા વૃધ્ધને તેમના ઓળખીતાવેપારીએ તેના ધંધામાં રોકાણ કરવાથી સારો નફો મળશે એવી લાલચ આપી હતી. આથી વૃધ્ધે 10 લાખનું રોકાણ કર્યું હતું. પરંતુ કોઈ નફો ન થતા તેમણે પૈસા પરત માંગ્યા હતા. જેને પગલે ઉશ્કેરાયેલા વેપારીએ  ઉઘરાણી કરશો તો જાનથી મારી નાંખીશ, એવી ધમકી આપી હતી.

આ બનાવની વિગત મુજબ વસ્ત્રાપુરમાં શ્ર ક્રિસ્ના એપાર્ટમેન્ટમાં રહેતા મનસુખભાઈ ટ્રાઈવ ઈન રોડ પરની એક ઓફિસમાં મેનેજર તરીકે કામ કરે છે. જેમાં તેમની ઓળખ બોડકદેવમાં ગ્લાસનો વેપાર કરતા કિર્તીકુમાર આર.શેઠ સાથે થઈ હતી.

તેમણે પોતાની કંપનીમાં 10 લાખનું રોકાણ કરશો તો મહિને 30થી 40 હજારનો નફો મળશે, એવી લાલચ મનસુખભાઈને આપી હતી. આથી મનસુખભાઈએ ટુકટે ટુકડે 10 લાખ કિરૂતીકુમારની ઓફિસે જઈને આપ્યા હતા.

(5:34 pm IST)